કર્ણાટક: કુમારસ્વામીની સરકાર સંકટમાં? કોંગ્રેસ-જેડીએસના 8 MLA રાજીનામું આપવા પહોંચ્યા

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ગઠબંધનના 8 ધારાસભ્યો રાજીનામું આપવા માટે પહોંચી ગયા છે. કહેવાય છે કે વિધાનમંડળ ભવનમાં હાજર સ્પીકરના રૂમમાં આ તમામ આઠ ધારાસભ્યો પહોંચી ગયા છે. કહેવાય છે કે આ 8 ધારાસબ્યો સ્પીકર રામલિંગા રેડ્ડીને રાજીનામું ધરી દેશે. જેમાંથી 6 કોંગ્રેસના અને 2 જેડીએસના છે. કહેવાય છેકે સ્પીકર હાલ પોતાના રૂમમાં હાજર નથી. ધારાસબ્યો પોતાનું રાજનામું લઈને તેમની રાહ જોઈ રહ્યાં છે. 

કર્ણાટક: કુમારસ્વામીની સરકાર સંકટમાં? કોંગ્રેસ-જેડીએસના 8 MLA રાજીનામું આપવા પહોંચ્યા

બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ગઠબંધનના 8 ધારાસભ્યો રાજીનામું આપવા માટે પહોંચી ગયા છે. કહેવાય છે કે વિધાનમંડળ ભવનમાં હાજર સ્પીકરના રૂમમાં આ તમામ આઠ ધારાસભ્યો પહોંચી ગયા છે. કહેવાય છે કે આ 8 ધારાસબ્યો સ્પીકર રામલિંગા રેડ્ડીને રાજીનામું ધરી દેશે. જેમાંથી 6 કોંગ્રેસના અને 2 જેડીએસના છે. કહેવાય છેકે સ્પીકર હાલ પોતાના રૂમમાં હાજર નથી. ધારાસબ્યો પોતાનું રાજનામું લઈને તેમની રાહ જોઈ રહ્યાં છે. 

સ્પીકરના રૂમમાં હાજર ધારાસભ્યોના નામ...

1. પ્રતાપ ગૌડા પાટીલ, કોંગ્રેસ (Pratapgowda patil)
2. શિવરામ હેબાર, કોંગ્રેસ  (Shivaram Hebbar)
3. રમેશ જારખોલી, કોંગ્રેસ (Ramesh jarkiholi)
4. ગોપાલાહ, જેડીએસ (Gopalaiah)
5. મહેશ કુમાતિ હાલી, કોંગ્રેસ (Mahesh Kumati Halli)
6. એચ. વિશ્વનાથ, જેડીએસ (H Vishwanath)
7. નારાયણ ગૌડા, કોંગ્રેસ (Narayan Gowda)
8. બી સી પાટીલ, કોંગ્રેસ (B C Patil)

આ ઉપરાંત એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ આઠ સિવાય 4 વધુ ધારાસભ્યો સ્પીકરને પોતાનું રાજીનામું આપવા પહોંચી શકે છે. તેમના નામ આ પ્રમાણે છે. 

1. રામલિંગા રેડ્ડી, કોંગ્રેસ (Ramalinga reddy)
2. સૌમ્યા રેડ્ડી, કોંગ્રેસ (Sowmya reddy)
3. બી સુરેશ, કોંગ્રેસ (Byrsthi Suresh)
4. મુનિરથના, કોંગ્રેસ (Munirathna)

જુઓ LIVE TV

કોંગ્રેસના બે ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામા
અત્રે જણાવવાનું કે એક જુલાઈના રોજ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને ઝટકો આપતા બળવાખોર ધારાસભ્ય રમેશ ઝરકીહોલી સહિત બે કોંગ્રેસ ધારાસભ્યોએ સોમવારે રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધુ. વિધાનસભાના અધ્યક્ષ કે.આર.રમેશકુમારને મોકલવામાં આવેલા કન્નડ ભાષામાં હાથથી લખાયેલા પત્રમાં ઝરકીહોલીએ ફરિયાદ કરી હતી કે તેમની પાર્ટીએ ગત વર્ષ મંત્રીમંડળમાંથી તેમને બહાર કરીને તેની વરિષ્ઠતાની 'અવગણના' કરી.

અત્રે જણાવવાનું કે વર્ષ 2018માં કર્ણાટકમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નહતો. ત્યારબાદ કોંગ્રેસ અને જેડીએસ મળીને સરકાર ચલાવી રહ્યાં છે. વિધાનસભાની 225 બેઠકોમાંથી 104 બેઠકો ભાજપને મળી હતી. જે બહુમતથી 9 ઓછી હતી. કોંગ્રેસ 80  બેઠકો જીતવામાં સફળ રહી જ્યારે જેડીએસને 37 બેઠકો મળી હતી. આમ છતાં કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી. કોંગ્રેસે જેડીએસને બિનશરતી સમર્થન આપેલું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news